આચાર્ય ચાણક્યને ભારતના સૌથી મહાન અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. પૈસા કમાવવા, તેને બચાવવા અને તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેના નિયમો તેમણે સદીઓ પહેલાં આપ્યા હતા. સામાન્ય રીતે ચાણક્ય પૈસાની બચત કરવાનું કહે છે, પરંતુ તેઓ એવું પણ કહે છે કે 4 ખાસ જગ્યાઓ એવી છે જ્યાં પૈસા ખર્ચવામાં ક્યારેય ખચકાવું ન જોઈએ. ત્યાં કરેલો ખર્ચ વ્યાજ સાથે પાછો મળે છે.
1. બીમાર અને જરૂરિયાતમંદ લોકોની મદદમાં:
કોઈ ગરીબ, અસહાય કે બીમાર વ્યક્તિની મદદ માટે જો પૈસા ખર્ચવા પડે તો ક્યારેય પાછળ ન હઠવું. આવી જગ્યાએ વાપરેલા પૈસા પુણ્ય કમાવી આપે છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારે છે.
2. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં:
પોતાની કમાણીનો એક નાનો હિસ્સો સમાજના કલ્યાણ માટે, અન્નદાન માટે કે ધાર્મિક કાર્યોમાં વાપરવો જોઈએ. ચાણક્ય અનુસાર, જેમ તળાવનું પાણી ભરાઈ રહે તો તે બગડી જાય છે, તેમ ધનનો સદઉપયોગ ન થાય તો તે નષ્ટ થઈ જાય છે.
3. શિક્ષણ અને જ્ઞાન મેળવવામાં:
પોતાના અથવા બાળકોના શિક્ષણ પાછળ, પુસ્તકો ખરીદવામાં કે કોઈ નવી સ્કિલ શીખવામાં જે પૈસા ખર્ચાય છે, તે વાસ્તવમાં ખર્ચ નથી પણ ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) છે. આ જ્ઞાન ભવિષ્યમાં તમને બમણી કમાણી કરી આપશે.
4. પોતાની જાત અને પરિવારની મૂળભૂત જરૂરિયાતો પર:
ઘણા લોકો લાખો રૂપિયા હોવા છતાં સારું ખાવા-પીવામાં કે પરિવારની સુખ-સુવિધા પાછળ ખર્ચ નથી કરતા. ચાણક્ય કહે છે કે શરીર સાજું-નરવું હશે તો જ ધન કમાઈ શકાશે, એટલે સ્વાસ્થ્ય અને પૌષ્ટિક ખોરાક પાછળ કંજૂસાઈ ન કરવી.
લક્ષ્મીજીને પ્રસન્ન કરવા હોય તો… આ 4 જગ્યાએ પૈસા વાપરવામાં ક્યારેય કંજૂસાઈ ન કરો!









