--Advertisement here--

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 10: વિભૂતિ યોગ – ઈશ્વરની ભવ્યતાના દર્શન

On: June 3, 2026 5:53 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

“કૃષ્ણ ક્યાં છે? ગંગાના નીરથી હિમાલયની ટોચ સુધી, જાણો વિભૂતિ યોગ.”

અર્જુનને હવે સમજાઈ ગયું છે કે કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, પણ તેની જિજ્ઞાસા વધી રહી છે. તે પૂછે છે, “હે પ્રભુ! હું કયા કયા ભાવો દ્વારા તમારું ચિંતન કરું? આ સંસારમાં તમારી શ્રેષ્ઠ વિભૂતિઓ કઈ છે?”

ભગવાન સ્મિત સાથે જવાબ આપે છે કે મારી વિભૂતિઓનો તો કોઈ અંત નથી, પણ મુખ્ય કઈ છે તે હું તને જણાવું.

શ્રીકૃષ્ણ કહે છે કે દરેક જીવના હૃદયમાં રહેલો આત્મા હું જ છું. આ સૃષ્ટિની શરૂઆત, તેનો વિકાસ અને તેનો અંત પણ હું જ છું. જગતમાં જે કંઈ પણ તેજસ્વી, સુંદર અને શક્તિશાળી દેખાય છે, તે મારા તેજનો એક અંશ માત્ર છે.

યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા ।

તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંશસંભવમ્ ॥

ભગવાન પોતાની શ્રેષ્ઠતા સમજાવવા કેટલાક ઉદાહરણો આપે છે.

આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન ।મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી ॥

હું અદિતિના બાર પુત્રોમાં (આદિત્યોમાં) વિષ્ણુ છું, પ્રકાશોમાં કિરણોવાળો સૂર્ય છું, મરુતોનો (પવનોનો) પ્રભાવ મરીચિ છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું.

વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ।

ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ॥

વેદોમાં હું સામવેદ છું, દેવોમાં હું ઇન્દ્ર (વાસવ) છું, ઇન્દ્રિયોમાં હું મન છું અને જીવંત પ્રાણીઓમાં રહેલી ચેતના (જીવનશક્તિ) હું છું.

રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ ।

વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ॥

હું રુદ્રોમાં શંકર છું, યક્ષો અને રાક્ષસોમાં કુબેર છું, વસુઓમાં અગ્નિ છું અને **શિખરોવાળા પર્વતોમાં હું મેરુ પર્વત છું.

પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ ।

સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ॥

હે પાર્થ! પુરોહિતોમાં તું મને મુખ્ય બૃહસ્પતિ જાણ, સેનાપતિઓમાં હું કાર્તિકેય (સ્કન્દ) છું અને જળાશયોમાં હું સમુદ્ર (સાગર) છું.

અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ ।

ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ॥

સમગ્ર વૃક્ષોમાં હું પીપળો (અશ્વત્થ) છું, દેવર્ષિઓમાં નારદ છું, ગંધર્વોમાં ચિત્રરથ છું અને સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું

પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહમ્ ।

ઝષાણાં મકરશ્ચાસ્મિ સ્ત્રોતસામસ્મિ જાનહ્વી ॥

પવિત્ર કરનારાઓમાં હું પવન છું, શસ્ત્રધારીઓમાં હું શ્રી રામ છું, માછલીઓમાં હું મગર છું અને નદીઓમાં (વહેતા પ્રવાહોમાં) હું ગંગા (જાનહ્વી) છું

  • “આદિત્યોમાં હું વિષ્ણુ છું.”
  • “નક્ષત્રોમાં હું ચંદ્ર છું.”
  • “વેદોમાં હું સામવેદ છું અને દેવોમાં હું ઈન્દ્ર છું.”
  •  “પર્વતોમાં હું મેરુ પર્વત છું અને જળાશયોમાં હું સમુદ્ર છું.”
  • “વૃક્ષોમાં હું પીપળો છું અને મુનિઓમાં હું કપિલ મુનિ છું.”
  • “શસ્ત્રધારીઓમાં હું રામ છું અને નદીઓમાં હું ગંગા છું.”

દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનાં અહમ્ ।

જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ॥

“હું છળ કરનારાઓનો જુગાર (ઐશ્વર્ય) છું અને પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ છું. વિજયી વ્યક્તિઓનો વિજય હું છું, નિશ્ચયી માણસોનો નિશ્ચય (પ્રયત્ન) હું છું અને સાત્વિક પુરુષોનું સત્વ (ગુણ) પણ હું જ છું.”

પોતાના જ વંશ અને શ્રેષ્ઠ જ્ઞાનીઓનો ઉલ્લેખ કરતા ભગવાન કહે છે:

વૃષ્ણીનાં વાસુદેવોઽસ્મિ પાણ્ડવાનાં ધનઞ્જયઃ ।

મુનીનામપ્યહં વ્યાસઃ કવીનામુશના કવિઃ ॥

​”વૃષ્ણિવંશીઓમાં હું વાસુદેવ (પોતે કૃષ્ણ) છું, પાંડવોમાં ધનંજય (અર્જુન) હું છું, મુનિઓમાં વેદવ્યાસ હું છું અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું.”

ભગવાન કહે છે કે વિજયી વ્યક્તિનો વિજય હું છું, નિશ્ચયી માણસનો નિશ્ચય હું છું અને સાત્વિક પુરુષોનું સત્વ હું છું. પાંડવોમાં હું અર્જુન છું અને મુનિઓમાં હું વ્યાસ છું.

ટૂંકમાં, આ સંસારમાં જે કંઈ પણ ઉત્તમ છે, તે ઈશ્વરની જ અભિવ્યક્તિ છે.

અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ।

ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમન્વિતાઃ ॥

આજના જીવન માટે બોધ

સકારાત્મક દ્રષ્ટિ: જ્યારે આપણે પ્રકૃતિની સુંદરતા કે કોઈની આવડત જોઈએ, ત્યારે સમજવું કે આ ઈશ્વરની જ દેન છે. આ ભાવથી ઈર્ષ્યા મટે છે અને આદર વધે છે.

અસીમ શક્તિ: આપણી અંદર રહેલી શક્તિ પણ ઈશ્વરનો જ અંશ છે, તેથી આપણે ક્યારેય પોતાને નબળા ન સમજવા જોઈએ.

તમને કુદરતના કયા તત્વમાં ભગવાનની સૌથી વધુ અનુભૂતિ થાય છે?” કૉમેન્ટમાં જણાવો

error: Content is protected !!