
માનવ સ્વભાવની પરખ કરવામાં આચાર્ય ચાણક્ય માહિર હતા. તેઓ કહે છે કે જીવનમાં ઝેરીલા સાપ કરડે તો તેનો ઈલાજ શક્ય છે, પરંતુ તમારી આસપાસ રહેતા કપટી લોકો જો ડંખ મારે તો આખું જીવન બરબાદ થઈ જાય છે. ચાણક્યએ આવા ૩ પ્રકારના લોકોથી હંમેશાં દૂર રહેવાની સલાહ આપી છે.
1. સામે વખાણ અને પીઠ પાછળ બુરાઈ કરનાર (દંભી મિત્ર):
જે લોકો તમારી સામે મીઠું-મીઠું બોલે છે પણ તમારી ગેરહાજરીમાં તમારી નિંદા કરે છે અથવા તમારા પ્લાન બગાડે છે, તેવા લોકો ઝેરથી ભરેલા એવા ઘડા જેવા છે જેના મોઢા પર દૂધ લગાવેલું હોય. આવા મિત્રોનો ત્યાગ તાત્કાલિક કરવો જોઈએ.
2. કારણ વગર ગુસ્સો કરનાર વ્યક્તિ:
જે વ્યક્તિ પોતાના ક્રોધ પર કાબૂ નથી રાખી શકતી, તે ક્યારેય કોઈની સગી નથી થતી. ગુસ્સામાં તે તમારું મોટું નુકસાન કરી શકે છે. આવા અતિશય ક્રોધી લોકોની સંગત હંમેશા માનસિક તણાવ આપે છે.
3. સ્વાર્થી અને લાલચુ લોકો:
જે વ્યક્તિ માત્ર પોતાના સ્વાર્થ માટે જ તમારી સાથે જોડાયેલી છે, તે તમારો સમય અને પૈસા બગાડશે. જેવો તેમનો સ્વાર્થ પૂરો થશે અથવા તમે મુશ્કેલીમાં આવશો, તેઓ સૌથી પહેલાં તમારો સાથ છોડી દેશે.








